News of Saturday, 16th June 2018
SGVP ગુરુકુલ રીબડાના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના શૈક્ષણિક સ્થાનોના પ્રવાસે
અમદાવાદ તા. ૧૬ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડાના ૬૦ જેટલા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા એસજીવીપી ગુરુકુલમાં પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ બાળકોને ભાલે તિલક ચાંદલો કરી શૈક્ષણિક તેમજ પુજાપાઠની કીટ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ બાળકોએ એસજીવીપી સ્કુલ,એસી હોસ્ટેલ,ગૌશાળા, જોગી સ્વામી કુટિર વગેરે સ્થાનોની મુલાકાત લીધી હતી ત્યાર બાદ બાળકોએ અમદાવાદના જોવાલાયક સ્થળો જેવા કે કાંકરિયા, ઝૂ, સાયન્સ સીટી વગેરેની મુલાકાત લીધી હતી.
(1:56 pm IST)