સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

કરણી સેનાની ઍકતા યાત્રા ખોડલધામ પહોઁચીઃ ધ્વજારોહણ

રાજકોટઃ ક્ષત્રીય રાજપુત સમાજમાં સામાજીક ઍકતા, રાજકીય અને શૈક્ષણીક ક્ષેત્રે જાગૃતી લાવવા અને કુરિવાજાને તિલાંજલી આપવાના શુભ આશયથી તા.૧ લીના માતાના મઢ કચ્છથી શરૂ થઇ તા.૧૬ મીના સોમનાથના સાનિધ્યમાં પુર્ણ થનાર શ્રી રાજપુત કરણી સેના આયોજીત ઍકતા યાત્રા ગઇકાલે ખોડલધામ પહોîચી હતી અને માં÷ ખોડલની આરાધના સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઇ પટેલે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાનું માં÷ ખોડલનો ખેસ પહેરાવી સન્માન કર્યુ હતું. આ તકે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા કરણી સેનાના ભરતસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, તીર્થરાજસિંહ ગોહીલ, સત્યેન્દ્રભાઇ ખાચર, શીવરાજભાઇ ખાચર, મેરૂભા જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, રાજાભાઇ (વાવડી) અને કૃષ્ણરાજસિંહ સહિતના કરણી સેનાના આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે.

(2:07 pm IST)