ગોંડલમાં બ્રહ્મચોર્યાસી યોજાઇ : હજારો ભૂદેવો અને સાધુ સમાજે એક પંગતમાં ભોજન લીધુઃ બ્રહ્મ પ્રતિભાઓનું સન્માન
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૬: ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તેમના દોહીત્ર માનવર્ધનસિહના જન્મ દિવસ પ્રસંગે બ્રહ્મ ચોર્યાસી તથા સાધુ ભોજનનુ આયોજન રાજપુત સમાજની વાડી ખાતે કરાયુ હતુ. વેદોકત મંત્રોચ્ચાર વચ્ચે અંદાજે છ હજાર થી વધુ ભુદેવો અને સાધુ સમાજે બ્રહ્મચોર્યાસીમા ભોજન પ્રસાદ લીધો હતો.
જયરાજસિહ જાડેજા, ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા જયોતિરાદિત્યસિંહની ઉપસ્થિતીમા ખાસ હાજર રહેલા રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા ના હસ્તે બ્રહ્મ પ્રતિભાઓ નાયબ મામલતદાર મનીષભાઈ જોષી, વિનયભાઇ રાજયગુરૂ, પીએસઆઇ ગોલવલકર, ધર્મીષ્ઠાબેન માઢક, નગરપાલીકા સદસ્યા અર્પણાબેન આચાર્ય, અનિતાબેન રાજયગુરૂ,નયનાબેન રાવલ,લોકસાહિત્ય કાર નિરંજનભાઇ રાજયગુરુ,લોકસેવક પ્રફુલભાઈ રાજયગુરુ, બોલબાલા ટ્રસ્ટના વિજયભાઈ ભટ્ટ નિતિનભાઇ ભટ્ટ, પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, પત્રકાર જયદીપભાઇ જોશી સહીત નુ સન્માન કરાયુ હતુ. આ વેળા બંસી છેલવાડાએ બ્રહ્મત્વ વિષે મનનીય પ્રવચન આપ્યુ હતુ.
કાર્યક્રમમા સાંસદ રામભાઇ મોકરીયા,રમેશભાઈ ધડુક,પુ.ઘનશ્યામજી મહારાજ, પુ.સિતારામ બાપુ, પુ.ચંદુબાપુ, પુ.શુભાત્માનંદ સરસ્વતી સ્વામી, નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,સહીત ઉપસ્થિત રહ્યા હતા.બ્રહ્મ ચોર્યાસી ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ જીતુભાઇ આચાર્ય, યોગેન્દ્રભાઇ જોશી,ગીરીશભાઈ રાવલ,મયુરભાઇ મહેતા,જીતુભાઇ પંડયા, રમેશભાઈ મહેતા સાધુ સમાજના પ્રમુખ બીપીનભાઈ નિમાવત, ઉપરાંત નાગરીક બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા,પ્રફુલભાઈ ટોળીયા, યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.રાત્રે યોજાયેલ સંગીત સંધ્યામા લોકોએ મનભરી સંગીતની સુરાવલીઓ માણી હતી.