સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સંદર્ભે કુલ 24 જેટલી 108 તૈનાત : મહેસાણા,ખેડા અને દાહોદથી 108 બોલાવાઇ : 9892 લોકોનું રાત્રીના 10 કલાક સુધીમાં શેલ્ટર હોમમાં સ્થળાંતર

જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સંદર્ભે વધારાની 108 તૈનાત કરાઈ છે જૂનાગઢ સિવાય મહેસાણા જિલ્લામાંથી 4 ખેડા થી 2 અને દાહોદથી 3 108 બોલાવાય છે .જૂનાગઢ જિલ્લામાં 15  108 હતી જયારે બહારથી વધારાની 108 બોલાવતા  હાલ કુલ 24 108 તૈનાત કરાઇ છે  દરમિયાન વાવાઝોડાં સંદર્ભે 9892 લોકોનું રાત્રીના 10 કલાક સુધીમાં શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયું છે

(11:11 pm IST)