સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

પોરબંદરમાં વાવાઝોડાના પગલે દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો : એન.ડી.આર.એફ. સહિતની ટીમોનું પોરબંદરમાં આગમન : તંત્ર એલર્ટ

પોરબંદર : આગામી બે દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં તૌકેત વાવાઝોડુ ત્રાટકવાના અહેવાલને પગલે પોરબંદર પોલીસ સતર્ક બની ગઇ છે.

સ્થાનિક પોલીસ દ્વારા દરિયા કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એન.ડી.આર. એફ. સહિતની ટીમો જરૂ પડયે બચાવ - રાહત કામગીરી માટે પોરબંદર આવી પહોîચી છે.

પોલીસ અને એન.ડી.આર.એફ.ની ટીમના જવાનો દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે પહોîચી જવા અપીલ કરાઇ છે.

દરિયા ખેડવા ગયેલ તમામ લગભગ પ૦૦ નાની મોટી બોટો પરત આવી ગયેલ છે અને દરિયા કિનારે લાંગરી દેવાય છે.

(12:43 pm IST)