ધાંગધ્રા તાલુકાના કુડા ગામે ધોમધખતા તાપમાં તરસ છીપાવવા માટે પાણી પીવા આવેલ ત્રણ નીલગાયને બંદૂકના ભડાકે મોતને ઘાટ ઉતારી દેતા હાહાકાર
વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ ખાતે આજે સાંજે તળાવમાં પાણી પીવા આવેલ ૩ નીલગાયને ભડાકે દઈ ને મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કુડા ગામ ખાતે આવેલા ગામના તળાવના પાડા ઉપર નીલગાય નું ટોળું આવી ગરમી ની અંદર તળાવ ખાતે પાણી પીવા માટે આવ્યું હતું .ત્યારે ધાંગધ્રા તાલુકાના કુડા ગામ ખાતે ત્રણ નિલ ગાયનો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર ફોરેસ્ટ વિભાગની ટીમો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે ત્યારે આ તાલુકામાં અવારનવાર આ નીલગાયનો શિકાર કરવામાં આવે છે અને શિકારીઓના સગડ પણ મળતા નથી જેના કારણે નિર્દોષ પશુઓ ના શિકાર કરીએ ને અને શિકારીઓ મિજબાની માણતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ત્યારે જીવ દયા પ્રેમીઓ માં પણ આ ત્રણ નીલગાયનો શિકાર થતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે . ત્રણેય નીલગાયો ના પોસ્ટમોર્ટમની પણ તૈયારીઓ હાથ ધરાઇ રહી છે.