સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th May 2019

જામનગર એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્વ મંત્રી બાબુભાઇ લાલની પૂણ્યતિથિ નિમિતે યોજાયેલ સ્વૈચ્છિક રકતદાન

જામનગરઃ હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેમેશ્વર મહાદેવ મંદિર (નાગોરી વાડી), પંચેશ્વર ટાવર જામનગર ખાતે સ્વ. હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ)ની પુણ્યતિથિ નિમિતે યોજાયેલા સ્વૈચ્છિક રકતદાન કેમ્પને પ્રતિસાદ મળ્યો હતો. તથા રકતદાતાઓએ ટ્રસ્ટનો હેતુ સિદ્ધ કરવા ઉમળકાભેર નોધપાત્ર સંખ્યામાં હાજર રહી રકતદાન કરી માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતુું. માનવ સેવા, શૈક્ષણીક કાર્યો તથા સામાજીક કાર્યો કરતા હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇમરજન્સી અને જરૂરીયાતમંદ દર્દીઓની જરૂરીયાતને સહાયરૂપ થવા ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઇ લાલ દ્વારા સ્વૈચ્છિક રકતદાન કરવા અપીલ કરી હતી. જેને માન આપીને સવારથી જ હેમેશ્વર મહાદેવ મંદિર (નાગોરવાડી) જામનગર ખાતે રકતદાતાઓનો પ્રવાહ શરૂ થયો હતો. આ બ્લડ કેમ્પમાં નગરના શ્રેષ્ઠીઓ, વેપારી અગ્રણીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વિવિધ સંસ્થાના હોદેદારો, પત્રકારો, મિડીયાના મિત્રો, શુભેચ્છકો તથા પરિવારના મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા સમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ, રકતદાતાઓ તેમજ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર કાર્યકારો અને જી.જી.હોસ્પીટલના ડોકટરો પ્રત્યે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ લાલ, ટ્રસ્ટી જીતુભાઇ લાલ, મિતેષભાઇ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલે આભારની લાગણી વ્યકત કરેલ.

(1:36 pm IST)