કેશોદના નાનીઘંસારીમાં બાળ રામદેવપીર સેવા સમિતિ બાળ યુવક મંડળ દ્વારા નવમો બાળ મંડપ
કેશોદ તાલુકાના નાનીદ્યંસારી ગામે રામદેવપીર સેવા સમિતિ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી બાળ મંડપનુ આયોજન કરવામાં આવે છે સ્થાપના બેસે ત્યાંથી આઠ દિવસ સુધી ધામધૂમથી ઢોલ શરણાઈના સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલની રમઝટ સાથે રામદેવપીર મહારાજના સામૈયા યોજાય છે તેમજ રાત્રીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયછે રાસ ગરબા લોક ડાયરા સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે લોક ડાયરો યોજાયો હતો જેમાં ભગવતીબેન ગૌસ્વામી નાથુદાન ગઢવી સહીતના કલાકારોએ લોક ડાયરામાં રામદેવપીરના ભજનો રજૂ કર્યા હતા. આ બાળ મંડપમા સમસ્ત ગ્રામજનો તન મન ધનથી સાથ સહકાર આપેછે. સમસ્ત નાનીઘંસારી ગ્રામજનો તથા આજુબાજુના ગામોની ધર્મ પ્રેમી જાહેર જનતા જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળ મંડપમાં ભાગ લ ેછે.