News of Wednesday, 16th May 2018
ભુજના પધ્ધર નજીક જીપ પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત:આઠને ઇજા
ભુજના પધ્ધર નજીક અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ ચોટીલાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને આ અકસ્માત નડ્યો હતો જીપ ચાલકે સ્ટિંયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ પલટી ગઈ હતી. જેથી જીપમાં સવાર 10 લોકોમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસે 2 વ્યક્તિના મૃતદેહોને પીએમ માટે ખસેડ્યા છે. જ્યારે અકસ્માત અંગે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(10:04 pm IST)