News of Wednesday, 16th May 2018
ઉનામાં ઉનાળાની અસહ્ય ગરમીમાં વીજકાંપથી તોબા પોકારતા લોકો
ઉના તા.૧૬: વીજતંત્ર દ્વારા વારંવાર વિજપુરવઠો ખોરવાતા નગરજનો આકરા ઉનાળાનો તાપ અને બફારાથી ત્રાહીમામ અવિરત વિજપુરવઠો આપવા માંગણી ઉઠી છે.
છેલ્લા ઘણા દિવસો થી દિવસ તથા રાતના વારંવાર વિજફોલ્ટ ના બહાને વીજપુરવઠો બંધ કરી દેવાતા દિવસના આકરા ઉનાળાની ગરમી તથા તાપમાં ગરમીમાં પરસેવા થી રેબઝેબ થઇ જાય છે. બફારાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને વહેલીતકે ઉનાળાની મોસમ માં દિવસના તથા રાત્રીના અવિરત વિજપ્રવાહ આપવા લોકોની માંગણી ઉઠી છે.
(11:45 am IST)