ડાસના દેવી મંદિરના મહંતને સુરક્ષા કયારે?
જીહાદીઓને નાથવાની લડાઇના સમર્થનમાં જામનગર હિન્દુ સેના
ગાજીયાબાદના પડઘા ગુજરાત સુધી : રાજમાં હિન્દુ સેના જીહાદીઓને નાથવા હથિયાર પણ ઉઠાવશે
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૬ : ગાજીયાબાદના ડાસના દેવી મંદિરના મહંત શ્રી નરસિંહનંદ સરસ્વતીને વારંવાર જીહાદી માનસિકતા ધરાવતા મુસ્લીમો દ્વારા ધમકીઓ મળી રહી છે. મિડીયા અને સોશિયલ મિડીયામાં પુરો દેશ જોઇ રહ્યો છે કે દિલ્હીથી ગુજરાત સહિતની મસ્જીદોથી શ્રીનરસિંહનંદ સરસ્વતી વિરૂધ્ધ ફતવાઓ બહાર આવી રહ્યા છે. જીહાદીઓ દ્વારા આ નરસિંહનંદનું સર કલમ કરનારને ૩૦૦ કરોડનું ઇનામ જાહેર કરાયુ છે.
સરકાર દ્વારા કોઇ સુરક્ષા આપવામાં આવી ન હતી અને અંતે મુસ્લીમ જીહાદીઓએ હત્યા કરી નાખી, એટલા માટે જ અગાઉથી સાવધાની સાથે શ્રી નરસિંહનંદ સરસ્વતીને પુરી સુરક્ષા મળી રહે તે માટે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુકુમાર ગુપ્તાએ ભારત સરકારના ગૃહમંત્રી અમીત શાહજીને પત્ર લખી માંગણી કરી છે.
આવતા સમયમાં ગુજરાતના હિન્દુ સેનાના સૈનિકો આ લડાઇમાં સામિલ થશે અને જીહાદીઓને નાથવા તેમજ જવાબ આપવા આવતા સમયમાં હથિયાર પણ ઉઠાવવા પડે તો ઉઠાવતા અચકાશે નહી તેવુ જાહેર કર્યુ છે.