સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

ગીર સોમનાથમાં કોરોનામાં ચારના મૃત્યુ ૭૦ સારવારમાં

ડર અને ભયથી મુકત થવાની જરૂર છે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: ગીર સોમનાથ જીલ્લાના દર્દીઓ વેરાવળ સીવીલ હોસ્પીટલમાં સારવારમાં આવી રહેલ હોય જેમાં ચાર ના મૃત્યુ થયેલ હોય તેવું જાણવા મળેલ છે ૭૦ દર્દીઓ સારવાર લઈ રહેલ છે ખાનગી હોસ્પીટલોમાં પણ કયાંય જગ્યા મળતી નથી વધારાની હોસ્પીટલોને મજુરી આપવા માટેની તજવીજ હાથ ધરાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ માં દર્દીઓ સારવારમાં વધુ ને વધુ આવતા જાય છે તેથી સીવીલ હોસ્પીટલમાં પણ ક્ષમતા જે છે તે પ્રમાણે સારવાર અપાય રહેલ છે ડોકટરો એ જણાવેલ હતું કે જે દર્દીઓ સાજા થઈ ગયેલ હોય તેમને રજા આપી બીજા દર્દીઓની સારવારચાલુ કરાઈ છે ખાનગી હોસ્પીટલોમાં બધા બેડ ભરાઈ ગયેલ છેવધારાના બેડ તેમજ નવી હોસ્પીટલો માટે મજુર મંગાયેલ છે દિવસ દરમ્યાન ચારના મૃત્યુ થયેલ છે.

એન્ટીજન્ટ ટેસ્ટ કીટ ખાલી થઈ ગયેલ હતી તેથી ટેસ્ટ નું કામ અટકી ગયેલ હતું અત્યારે ડર અને ભય નો માહોલ ફેલાય રહેલ છે જેથી હવે તાત્કાલીક આ માહોલ દુર થાય તેવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(1:03 pm IST)