સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

જુનાગઢ ભારતી આશ્રમે પૂ. ભારતીબાપુની પ્રાર્થના સભા યોજાઇ

પૂ. મોરારીબાપુ, પૂ. રમેશભાઇ ઓઝા, વિવિધ સંસ્થા, સી.આર.પાટીલ સહિતનાએ શોક સંદેશો પાઠવ્યા

ઉપરોકત તસ્વીરમાં પ્રાર્થના સભામાં ઉપસ્થિત સંતો-મહંતો અને કલાકારો (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

જુનાગઢ તા. ૧૬ :.. જુનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ શ્રી ભારતી આશ્રમના સંસ્થાપકશ્રી અને શ્રી પંચદશના મજુના અખાડાના આંતર  રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજની જુનાગઢ શ્રી ભારતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી.

જેમાં પૂ. મોરારીબાપુ , પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તેમજ હરીદ્વારથી સ્વામી અવધેશાનંદગીરીજી છારોડી અમદાવાદ થી સ્વામી માધવપ્રિયદાસજી તેમજ સંત સુરક્ષા મિશનના આચાર્ય સંતોષજી મહારાજ અરણેજ બુટ ભવાની માતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગામ તેમજ ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદજીબાપુ અને અખિલ ભારતીય સંત સમિતિ વડોદરાના શ્રી દ્વારકેશલાલજી મહારાજ અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર તેમજ હિન્દુ ધર્મ આચાર્ય સભા સ્વામી પરમાત્માનંદ સરસ્વતી તેમજ ધુનડા સંતપુરણધામ આશ્રમના સંત પૂ. જેન્તીરામબાપા સહિતના એ શોક સંદેશ મોકલી પૂ. ભારતીબાપુને ભાવાંજલી આપી હતી.

અને આશ્રમ ખાતે પૂ. હરીહરાનંદભારતીજી,  ઋષિભારતીજી,  મહાદેવ ભારતીજી મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ સહિતના સંતો માતાજી તેમજ લોકસાહિત્યકાર અમુદાન ગઢવી તેમજ લોકગાયક રાજુભાઇ ભટ્ટ, નિરૂબેન દવે, સહિતના એ સ્વરાંજર્લિ આપી પૂ. બાપુને ભાવવંદના કરી હતી.

(1:02 pm IST)