સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

કોટડાપીઠામાં ૩૦મી સુધી લોકડાઉન

કોરોના મહામારી પ્રસરતા ગ્રામ પંચાયતના આગેવાનો વેપારીઓ, ગ્રામજનો દ્વારા નિર્ણય

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા, તા. ૧૬ :  બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત કોટડાપીઠા દ્વારા ગામના તમામ વેપારીની મીટીંગ રાખવામાં આવેલ જેના તા. ૧પ-૪ થી ૩૦-૪ સુધી સવારના ૬ થી ર સુધી જીવન જરૂરીયાતની દુકાન ખુલ્લી રાખી શકાશે. ત્યારબાદ તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે.

આ સમય દરમ્યાન કોઇ નિયમોનો ભંગ કરશે તેને રૂ. ૧૦૦૦ નો દંડ નું નકકી કરવામાં આવેલ આ બેઠકમાં સરપંચ, ઉપસરપંચ તેમજ ગામનાં તમા વેપારી હાજર રહ્યા હતા. હાલ આ વિચારની ગ્રામ્ય પંથકમાં કોરોના મહામારીએ ભારે કેર વર્તાવી રહી છે. વાવડી, કોટડાપીઠા, ગરણી, પાનસણ વગેરે ગામોમાં કોરોનાથી મૃત્યુ થયા છે.

(12:56 pm IST)