ઉપલેટાના નિલાખા ગામે પ્રેમ પ્રકરણમાં બે પરિવારો વચ્ચે બબાલ થતા ૧૦ને ઇજા
ઉપલેટા તા. ૧૬ : તાલુકાના નિલાખા ગામે રહેતા પ્રદીપભાઇ દેવાયતભાઇ અને ભાવના પરબત જલું વચ્ચે પ્રેમ પ્રકરણ હોય બન્ને એ ગત તા. ર૭ જાન્યુઆરીના રોજ નિલાખાથી ભાગી લગ્ન કરી લીધેલ હતાં. લગ્ન કર્યા બાદ ગઇકાલે પ્રદીપ અને ભાવના બન્ને નિલાખા મુકામે તેમના પિતા દેવાયતભાઇ ના ઘરે આવતા ભાવનાના માતા-પિતાને આ બાબતની ખબર પડતા તેઓ પોતાના સબંધીઓ સાથે દેવાયતભાઇના ઘરે આવી દેવાયતભાઇ તેમનો પુત્ર સતીષ તેમની પત્નિ વગેરેને માર મારતા ઉપલેટા પોલીસમાં ફરીયાદ થયેલ છે.
જયારે સામે પક્ષે નિલાખાના દેવાયત મેરામણ ડાંગરએ નોંધાવેલ ફરીયાદમાં પરબત રામસુરભાઇ જલુ, ભગાભાઇ રામસુરભાઇ જલુ, નીતિનભાઇ ભગાભાઇ જલુ, સુખદેવ ભગા જલું, કારા ભગા જલું, ભુરા ખીમા જલુ, કરણા રામસુર જલું, મુકેશ બાવા ડાંગર, અને હમીર પરબતની સામે ફરીયાદ નોંધાવેલ હતી. આ મારા મારીમાં બન્ને પક્ષના ૧૦ વ્યકિતઓને ઇજા થતા એક જૂથનાને ક્રિષ્ના હોસ્પીટલ અને બીજા જૂથને કોટેજ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ આવવામાં આવેલ હતાં.
આ બનાવની જાણ ઉપલેટા પોલીસને થતા પી. આઇ. કે. કે. જાડેજા, પોલીસ સ્ટાફ સાથે જઇ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ આ બનાવમાં ૩ મહિના પહેલા થયેલા પ્રેમલગ્નને કારણે નાના એવા નિલાખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયેલ હતો.