સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th April 2021

કોડીનારમાં ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને લોકોએ આવકારી સમગ્ર શહેર સ્વયંભૂ બંધ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૧૬ કોડીનારમાં કોરોનાની વિસ્ફોટક પરિસ્થિતિને ધ્યાને લઇ ચેમ્બર્સ ઓફ કોમર્સ-વહીવટી તંત્ર અને તાલુકાના અગ્રણી આગેવાનો દ્વારા તા.૧૬-૧૭-૧૮ શુક્ર-શનિ-રવિવારે કોડીનાર માં સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું.

આ સ્વૈચ્છિક લોકડાઉનમાં શાક માર્કેટ-માર્કેટ યાર્ડ સહિત બધું સદંતર બંધ રાખી માત્રમેડીકલ ઇમરજન્સીને બાકાત રાખી અનેદૂધની ડેરીઓ માત્ર બે કલાક ચાલુ રાખવા અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાનો નિર્ણય લીધો હતો જેને આજે પ્રથમ દિવસથી શહેરીજનો એ આવકારી સ્વયંભૂ બંધ પાડી કોરોના સંક્રમણની ચેન તોડવા પ્રયાસ કર્યો છે.

(11:48 am IST)