સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

ધોરાજીમાં ડો. આંબેડકર જયંતિની ઉજવણી

ધોરાજીઃ બંધારણના ઘડવૈયા આંબેડકરજીની ૧૨૮મી જન્મ જયંતિ નિમિતે ધોરાજી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગેલેકસી ચોક ખાતે આંબેડકરની પ્રતિમાને સમાજ શ્રેષ્ઠીઓ તથા આમ લોકોએ હારમાળાઓ પહેરાવી તેમના મુલ્યો જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપેલ. આ તકે વિશાળ શોભાયાત્રા નિકળી  શહેરના મુખ્ય માર્ગો પર ફરેલ ડિ જે.ના સંગીતના સથવારે યુવાનોએ જય ભીમના નારાઓ લગાડેલ હતા તે પ્રસંગની તસ્વીર.

(3:15 pm IST)