સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

બાબરામાં ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમીતે શોભાયાત્રા-સમુહ ભોજનના કાર્યક્રમો થયા

બાબરા, તા.૧૬: ભારતના બંધારણના ધડવૈયા ડો બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની બાબરા તાલુકા દલીતસમાજ દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

 બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીલ્લા દલિત સમાજના અગ્રણી સોમાભાઈ બગડાના નિવાસસ્થાન યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હારથી સ્વાગત કર્યું હતું.

આ તકે બાબરાના માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા શહેર ભાજપના પ્રમુખ લલીતભાઇ આંબલીયા તાલુકા ભાજપના મહામંત્રી મહેશભાઈ ભાયાણી જીલ્લા ભાજપના અગ્રણી રામભાઈ સાનેપરા પત્રકાર દીપક કનૈયા ઉપસ્થિત રહ્યા હતા. સોમાભાઈ બગડાના નિવાસસ્થાન સમૂહ જ્ઞાતિના ભોજનનુ આયોજન કરવામાં આવ્યું. તેમાં મોટીસંખ્યામાં દલિત સમાજનાભાઇઓ જોડાયા હતા.

(11:52 am IST)