સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

દામનગરમાં શ્રી રામ જન્મોઉત્સવઃ રામ લલ્લાની રથયાત્રા

દામનગરઃ શહેરમાં રામલલ્લાનો જન્મોત્સવની ઉજવણી શહેરના રામજી મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી જય જય શ્રી રામના નાદ સાથે પ્રસ્થાન થયેલ રથયાત્રાના રૂટ પર મુસ્લિમ સમાજ સહિત દરેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના શરબત સ્ટોલ સામાજિક સંવાદિતાનો સુંદર નજારો રચતી શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી ભાવિકોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવાયો રામ લલ્લા નો જન્મોત્સવ દામનગર શહેર બપોર પછી સજ્જડ બંધ રાખી ઉજવાયો. શ્રી રામ જન્મોત્સવ રથયાત્રાનો દર્શનીય નજારો ભાવિકોમાં ભારે ખુશી જોવા મળી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી ભગવાન શ્રી રામની રથયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થયેલ રથયાત્રા માણેક ચોક સરદાર ચોક અજમેરા શોપિંગ મોટા એસ ટી મુખ્ય બજારો માં થઈ રામજી મંદિર ખાતે વિસર્જિત થઈ હતી.(તસ્વીર.અહેવાલઃ વિમલ ઠાકર.દામનગર)

(11:48 am IST)