સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

કોડીનારમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી

કોડીનાર તા.૧૬: અહિંના રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામજીના જન્મોત્સવની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

બપોરે ૧ર કલાકે મહાઆરતી બાદ૩ વાગ્યોથી ભવ્ય શોભાયાત્રા ભજન મંડળીઓ તેમજ ડીજેના સથવારે સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર અલગ અલગ ફલોટ સાથે ફરી અને સાંજે ૬-૩૦ વાગ્યે પરત રામ મંદિર ખાતે આવી મહાઆરતી કરવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં શહેરભરના તમામ હિન્દુ-મસ્લિમ આગેવાનો દરેક જ્ઞાતિના પ્રમુખો તેમજ સાસણ સ્વામિનારાયણ મંદિરથી પ્રમોદભાઇ કાનાબારે હાજર રહીભગવાનના મહિમાનું રસપાન કરાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)