સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

પડધરીમાં ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણી

 પડધરીઃ પડધરીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિની દલિત સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. પડધરી બાયપાસ મોવૈયા સર્કલથી સવારના ૯ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ. જે પડધરી મેઇન બજાર દરવાજા ચોક, પોસ્ટ ઓફીસ રોડ પરથી જયભીમના નારા સાથે પસાર થઇ જુની મામલતદાર કચેરી સામેના ગ્રાઉન્ડ ખાતે આવેલ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ અને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવેલ. દલિત સમાજના રાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં દલિત સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ મનમોહન બગડાઇ, પડધરી)

(9:34 am IST)