કેશોદમાં અહિર વિર સપુત્ર દેવાયત બોદરની તિથીની ઉજવણી
કેશોદઃ અહિ આહિર છિરસપુત દેવાયત બોદરની તિથીની ઉજવણ કેક કાપીને કરવામાં આવી હતી. રા નો વંશજ રાખવા આહિર દેવાયત બોદરે પોતાના સગા દાકરાનું બલિદાન આપી તેમની શૌર્યતા બલિદાન અને માતૃભૂમિ પ્રેમ માટે જાણીતા આલીદર બોડીદરના દેવાયત બોદરે પોતાના પુત્રનું બલિદાન આપવાનો ઈતિહાસ સાક્ષી પૂરે છે તેવા નંદ આહિર દેવાયત બોદરની રામનવમીની દિવસે કેશોદ આહિર સમાજમાં આહિર તથા રાજપુત આગેવાનોની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આહિર તથા રાજપુત આગેવાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ બાદમાં આગેવાનોના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આહિર સમાજ પ્રમુખ કરશનભાઈ બોદર સામતભાઈ બારીયા સરમણભાઈ પીઠીયા અશ્વિનભાઈ ખટારીયા સહીતના આહિર આગેવાનો તથા હરદેવસિંહ રાયજાદા રેવતુભા રાયજાદા રાજેન્દ્રસિંહ રાયજાદા સહીતના રાજપુત આગેવાનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર(તસ્વીર કિશોદ દેવાણી)