સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th April 2019

કેશોદમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભવ્ય ઉજવણી

કેશોદઃ કેશોદમાં ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની ૧૨૮ મી જન્મ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામા આવી હતી ગત રાત્રીએ જુના વાસ મહોલ્લા સહીતના વિસ્તારોમાં મકાનો લાઈટીંગથી સુશોભિત કરી ફટાકડા ફોડી આસતાબાજી સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે ચાર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેક કાપી ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાંજના પાંચ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના જુદાજુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરી હતી તેમાં કેશોદ શહેર તાલુકાના તમામ સમાજ જોડાયા હતા.

(9:34 am IST)