ગરીબોના ખાતામાં ૭૨ હજાર જમા કરાવવાની વાત કરનાર કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે ગરીબોના બેન્ક ખાતા પણ ખોલાવી શકી નહીઃ પાણી વિના માછલી તરફડે તેમ કોંગ્રેસ સત્તા વિના તડફડી રહી છેઃ પોરબંદર સુદામા ચોકમાં વિજયભાઇ રૂપાણીની જાહેર સભા યોજાઇ
પોરબંદર તા.૧૫: પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ધડુકના સમર્થનમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુદામા ચોકમાં જાહેરસભામાં જણાવેલ કે કોંગ્રેસ દેશને વેચવા નીકળી છે ગરીબોના ખાતામાં ૭૨ હજાર જમા કરવાનું વચન આપનાર કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારે ગરીબ લોકોના બેન્ક ખાતા પણ ખોલાવી શકી નહોતી માછલી પાણી વિના તરફડે તેમ કોંગ્રેસ સત્તા વિના તરફડી રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવેલ કે ભાજપના ચોકીદાર દેશમાં ચોરોની જમાતને મહાત કરશે કોંગ્રેસ શાસન વખતે દેશમાં ભ્રષ્ટાચાર કૌભાંડ કરનારા મહારથીઓ ચોરોની જમાત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાકિસ્તાનને ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો છે ત્યારે કોંગ્રેસ સર્જીકલ સ્ટ્રાઇકનો પુરાવા માંગી રહી છે.
કોંગ્રેસ અત્યાર સુધી એક પરિવારની વંશ પરાગત સરકાર ચલાવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સવાસો કરોડ જનતાની ચિંતા કરી છે અને વિકાસ અને નાગરીકોનું હિતનું રક્ષણ કર્યુ છે અને જનધન યોજના, ઉજજવલા યોજના આયુષ્યમાન ભારત સ્વચ્છ ભારત તથા પેન્શન યોજના અમલી બનાવી છે તેમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.