સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ધોળકાના પ્રાંત ધવલ જાનીની બદલીઃ દ્વારકાના જલંધરાની તેમના સ્થાને નિમણૂંક થઈ

રાજકોટઃ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સિનીયર નેતા કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મદદરૂપ થાય એ રીતે મત ગણત્રીમાં ઉઘાડે છોડા નિયમોનો ભંગ કરવા માટે હાઈકોર્ટ ઝાટકણી કાઢયાના પગલે ગુજરાત સરકારે ધોળકાના પ્રાંત અધીકારી શ્રી ધવલ જાનીની બદલી કરી છે.

શ્રી ભૂપેન્દ્રસિંહને નજીવા માર્જીનથી ચૂંટણી જીતવામાં આથી મદદ મળ્યાનો આરોપ હતો.

રૂપાણી સરકારે દેવભૂમિ દ્વારકાના ડે.ડીડીઓ શ્રી આર.એમ.જલંધારાને તેમના સ્થાને ધોળકાના પ્રાંત ઓફિસર તરીકે મૂકયા છે.

(3:44 pm IST)