સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

વિજયભાઇ જુનાગઢ-પોરબંદર જીલ્લાના પ્રવાસે

લોકસભા ચૂંટણી માટે પ્રચાર ઝૂંબેશ વેગવંતુ

જુનાગઢ, તા.૧૫: લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જુનાગઢ અને પોરબંદર લોકસભા ચુંટણીના પ્રચાર માટે આવ્યા છે.

આજે સવારે વિસાવદરનાં શાયોના પેટ્રોલપંપ પાસે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરસભા સંબોધ્યા બાદ કેશોદનાં માંગરોળ રોડ ઉપર દાદુભાઇ વાડીમાં જાહેર સભા બપોરે ૪ વાગ્યે સંબોધશે.

જયારે સાંજે પઃ૨૫ વાગ્યે ઉપલેટાના જવાહર રોડ ઉપર ભાજપ કાર્યાલયનુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉદ્ઘાટન કરશે.

જયારે ૫:૪૦ વાગ્યે બાવલો ચોેક ઉપલેટા તથા સાંજે ૭:૪૫ વાગ્યે સુદામા ચોક, પોરબંદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જાહેરસભા સંબોધશે. તેમ પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું છે.

(3:35 pm IST)