સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

પ્રભાસપાટણ કનકેશ્વરી મંદિરે યજ્ઞ

પ્રભાસ પાટણઃ સીમ વિસ્તારમાં હનુમાન કાહી પાસે કનકેશ્વરી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે જે અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરે દર વર્ષે કનકાઇ મીત્ર મંડળના તમામ સભ્યો દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરે છે તેમજ બપોરના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ હતું અને આ યજ્ઞ સહિતના કાર્યક્રમો સાંજના પ કલાકે પૂર્ણ થયેલ હતા. ગીર-સોમનાથ જીલ્લા કોળી સમાજ અને પ્રભાસ પાટણ  કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા, તાલુકા પંચાયતના સભ્ય દેવાભાઇ, કોળી સમાજનાં અગ્રણી કાળાભાઇસહિતનાં અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કોળી સમાજનાં લોકો જોડાયા હતા. કાર્યક્રમને ફળ બનાવવા કનકાઇ મિત્રમંડળના સર્વે સભ્યોએ જહેમત ઉઠાવેલ. મંદિરે પુજા અચર્ના કરવામાં આવી તે તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)

(3:07 pm IST)