સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

સોમનાથમાં રામ જન્મોત્સવની ઉજવણીઃ

પ્રભાસ પાટણઃ પ્રભાસ પાટણ સોમનાથમાં રામનવમી ઉજવવામાં આવેલ અને રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ. સાંજે લક્ષ્મીનારાયણ મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી અને મુખ્ય બજાર સોમનાથ અને અન્ય વિસ્તારોમાં ફરી અને લક્ષ્મીનારાયણ મંદિરે પૂર્ણ થયેલ હતી. આ શોભાયાત્રાનું મુખ્ય બજારમાં આવેલ વડલા ચોક પોલીસ ચોકીએ મુસ્લીમ સમાજનાં પ્રમુખ નુરદીનભાઇ, સીદીક સુલતાનજીઅને અન્ય આગેવાનો દ્વારા સ્વાગત કરેલ અને ફુલહાર તેમજ ઠંડાપીણા પીવડાવીઅને સર્વેનું સ્વાગત કરી અને હિન્દુ મુસ્લીમ એકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ. કોળી સમાજનાં અગ્રણી કાનાભાઇ બામણીયા, બ્રહ્મસમાજનાં સી. જે. ભટ્ટ, રામભાઇસોલંકી, રાજુભાઇ ગઢીયા (નગરસેવક) નાના કોળી સમાજનાં પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, પ્રકાશબાપુ અને જુદા જુદા સમાજના આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને જય શ્રી રામનાં જયઘોષ સાથે આ શોભાયાત્રા નિકળેલ હતી. શોભાયાત્રાની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(12:02 pm IST)