સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

ધોરાજીમાં શ્રી રામ મંદિરે રામનવમીની ઉજવણીઃ

ધોરાજીઃ રામ જન્મ મહોત્સવ નિમિતે સેવાભાવી યુવાનો અને રામચંદ્ર ધુન મંડળ દ્વારા રામ મંદિર ખાતે ધુનનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ અને બહોળી સંખ્યામાં ભાવીકો ધુનમાં જોડાયા અને બપોરે રામ જન્મ નિમિતે વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દર્શનનો લાભ લીધેલ હતો. આ તકે કે.ઓ.શાહ કોલેજ ગ્રાઉન્ડ ખાતે બે દિવસનો ભવ્ય લોકમેળો યોજાયો હતો અને લોકો અને બાળકો મેળો જોવા અને માણવા પધારેલ હતા. (તસ્વીરઃ અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:56 am IST)