પોરબંદરના હરિમંદિરે પૂ.ભાઇશ્રીની નિશ્રામાં રામનવમીની ઉજવણી
જુનાગઢ : પોરબંદર સાંદીપશ્રિં વિદ્યાનિકેતન શ્રી હરિમંદિરમાં પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં ભકિતસભર વાતાવરણમાં રામનવમી ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પૂ.ભાઇશ્રીએ બાલકાંડની ચોપાઇઓનું ગાન કરાવીને અવધમે આનંદ ભૈયો જય રામચંદ્રકીના જયઘોષ સાથે રામ પ્રાગટયને વધાવ્યું હતું તેમજ શ્રી રામચંદ્રની શાસ્ત્રોકત વિધી મુજબ અભિષેક પુજાવિધી કરી હતી અને ઋષિ કુમારો અને ભાવિકોએ સકિર્તનના ઉત્સાહ સાથે રામજન્મની ઉજવણી કરી હતી. પૂજાવિધી સંપન્ન થયા બાદ પૂ.ભાઇશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભાવિકોને ચોકલેટ અને રમકડા આપી રામજન્મની વધાઇ આપી હતી. શ્રી રામજીની આરતી સંપન્ન થઇ અને બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. આ રામનવમી ઉત્સવના યજમાન તરકે રીતેશભાઇ ઠક્કર અને પરિવાર અમદાવાદ એ સેવા આપી હતી. તસ્વીરમાં પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં ઉજવવામાં અવેલ રહેલ રામનવમીના વિવિધ પ્રસંૃોની ઉજવણી કરતા નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)