સુત્રાપાડામાં ડો. ભીમરાવ આંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિ રંગેચંગે ઉજવણી
સુત્રાપાડા : ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિ રંગેચંગે ઉજવવામાં આવી હતી તેમાં બહોળી સંખ્યામાં સર્વે સમાજના લોકો જોડાયા હતા તેમાં જેસીંગભાઇ પટેલ, રામા સોમાભાઇ વણવી, માનસિંગભાઇ ચાવડા, હરણસાથી રામભાઇ, દેવશીભાઇ કમાલિયા, રામભાઇ કમાલીયા તેમજ રામાભાઇ ચૌહાણ, દિલીપભાઇ બારડ, કાળાભાઇ બારડ, પંકજભાઇ યાદવ, હમીરભાઇ વાઢીયા, વાણવી, દેવસીભાઇ સોલંકી, નથુભાઇ કમાલિયા, સામતભાઇ, નાનુભાઇ તેમજ સર્વે સમાજના બહોળી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, બાળકો, જોડાયા હતાં. ડો. બાબા સાહેબની જન્મ જયંતિ ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી તેમજ સુત્રાપાડા શહેરના સર્વે સમાજના લોકો ડો. બાબા સાહેબ આંબેડકરની ૧ર૮ મી જન્મ જયંતિ ઉજવી ગૌરવની લાગણી અનુભવી હતી. (તસ્વીર - અહેવાલ : રામસિંહ મોરી -સુત્રાપાડા)