સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th April 2019

વેરાવળ-પ્રભાસપાટણ સોમનાથ મહાદેવને રામનવમીના તહેવાર નિમીતે પીળા ફુલોનો શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસપાટણ સોમનાથ મહાદેવને રામનવમીના તહેવાર નિમીતે પીળા ફુલોનો શ્રૃંગાર કરવામાં આવેલ હતો. જે.ને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન કરીને ધન્ય થયા હતા.રામનવમી નિમિતે શ્રી સોમનાથ મહાદેવે પીળા પુષ્પોનો શ્રૃંગાર: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવણી : શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નવનિર્મીત રામ મંદિર ખાતે રામનવમીની વિશેષ ઉજવણી કરવામાં આવેલ, શૃંગાર આરતી, મહાપુજન ધ્વજારોહણ,શ્રી રામ જન્મોત્સવ નિમીતે મહાપુજા, આરતી, સુંદરકાંડ પરિવાર વેરાવળ દ્વારા સુંદરકાંડ પાઠ, મહા આરતી, મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર,, એકઝીકયુટીવ ઓફીસર દીલીપભાઇ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અધિકારી, કર્મચારીઓ તથા યાત્રીઓ જોડાયા હતા.

(11:44 am IST)