ભાવનગરમાં ટ્રાફિકબ્રિગેડ જવાન અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી
ભાવનગર તા.૧૬ : ભાવનગરના હલુરીયા ચોકમાં ટ્રાફિક બ્રિગેડ જવાન અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીથતાં મામલો ટ્રાફિક શાખાએ પહોંચ્યો હતો. આ ઘટનામાં ત્રણ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભાવનગરના હલુરીયા ચોકમાંવાહન અટકાવા મામલે નવાપરા વિસ્તારમાં ત્રણ શખ્સ અને ટ્રાફિક બ્રિગેડ જવાન કુલદિપસિંહ રાયજાદા વચ્ચે બોલાચાલીબાદ ઝપાઝપી થતા મામલો ટ્રાફિક શાખાએ પહોંચ્યો હતો. ટ્રાફિક શાખાની કચેરીએ પણ બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલીથઇ હતી.
આ ઘટનાના પગલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ટ્રાફિક શાખાની કચેરીએ દોડી ગયો હતો. આ ઉપરાંત મુસ્લીમ સમાજના લોકો પણ દોડી આવ્યા હતાં.
આ બનાવ અંગે ટ્રાફિક બ્રિગેડ જવાન કુલદીપસિંહ તથા વાહન ધારેક માહિતી આપી હતી.
આ બનાવ અંગે એએસઆઇ હરપાલસિંહ જાડેજાએ નવાપરા વિસ્તારમાં રહેતા સાજીદભાઇ રઝાકભાઇ, અકરમભાઇ સહિત ત્રણ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. (૪.૮)