સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th March 2020

કેશોદ પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતા પીપળવાનાં વૃધ્ધનું મોત

જુનાગઢ તા. ૧૬: કેશોદ પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જતાં પીપળવાના વૃધ્ધનું મોત થયાનું જાણવા મળેલ છે.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનાં પીપળવા (પ્રાચી) ગામના જીણાભાઇ અરજણભાઇ કામરીયા (ઉ.વ. ૬ર) નામનાં વૃધ્ધનું ગઇકાલે સાંજે કેશોદનાં કાલવાણી ગામ પાસે ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી મૃત્યુ નિપજયું હતું. આ અંગે કેશોદનાં સ્ટેશન અધિક્ષકે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:30 pm IST)