News of Saturday, 16th March 2019
જમનાવડ પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા યુવકનું મોત
ધોરાજી જમનાવડ ગામ પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા ધોરાજી થી વાડોદર જતા ભરતભાઇ ભુપતભાઇ વીરડા (ઉ.૩પ) ને ગંભીર ઇજાઓ સાથે ૧૦૮ દ્વારા સારવારમાં લાવેલ હતા અને પંકજભાઇ લાખભાઇ મીયાત્રા (ઉ.૩૦, રહે. વાડોદર અને બે નાની બાળકોને સામાન્ય ઇજા થયેલ હતી. જયારે ભરતભાઇ મરણ ગયેલ. મરણ જનાર વાડોદર ગામે ખેતી કામ કરી પોતાનું ગુજરાન કરતા પોતે ૩ ભાઇઓ હતા. મરણ જનાર વચ્ચેના ભાઇ હતા અને બે નાની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ દુઃખદ ઘટનાની જાણ થતા વાડોદર ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાય હતી આ સેવાકીય પ્રવૃતિઓમાં ૧૦૮ ના પાયલોટ પરેશ જાટ અને ડ્રાઇવર ભાવેશ રાઠોડ હતાં. તપાસ એસ. બી. ગરેજા બી. જમાદાર ચલાવી રહેલ છે.
(11:48 am IST)