સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

વાંકાનેરમાં પૂ. મોરારીબાપુના હસ્તે સન્માન

 વાંકાનેરઃ પંચાસીયા ખાતે સંમેલનમાં પધારેલા પૂ. મોરારીબાપુને મુસ્લિમ અગ્રણી મહમદભાઈ રાઠોડ સાથે પરેશભાઈ મઢવીએ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. શાહબાવાને ચાદર ચઢાવાયા બાદ પૂ. મોરારીબાપુએ શાહબાવા ટ્રસ્ટના ડિરેકટર મહમદભાઈ રાઠોડનું પોતાની પાસે રહેલ શાલ યાને કામળીથી સન્માનિત કરેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં શાહબાવાના આશિકો હાજર રહ્યા હતા.

(11:47 am IST)