News of Saturday, 16th March 2019
વાંકાનેરમાં પૂ. મોરારીબાપુના હસ્તે સન્માન
વાંકાનેરઃ પંચાસીયા ખાતે સંમેલનમાં પધારેલા પૂ. મોરારીબાપુને મુસ્લિમ અગ્રણી મહમદભાઈ રાઠોડ સાથે પરેશભાઈ મઢવીએ હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે ફુલહાર તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. શાહબાવાને ચાદર ચઢાવાયા બાદ પૂ. મોરારીબાપુએ શાહબાવા ટ્રસ્ટના ડિરેકટર મહમદભાઈ રાઠોડનું પોતાની પાસે રહેલ શાલ યાને કામળીથી સન્માનિત કરેલ. આ પ્રસંગે બહોળી સંખ્યામાં શાહબાવાના આશિકો હાજર રહ્યા હતા.
(11:47 am IST)