તળાજા ત્રિપલ હત્યાકાંડ કોર્ટમાં ન જવા ધમકી
ભાવનગર રહેતી યુવતી તળાજા આવી તો મળી ધમકી
તળાજા તા. ૧૬ : તળાજામાં બે વર્ષ પહેલાં થયેલ ત્રિપલ હત્યાકાંડના બનાવ સબધે ફરિયાદી યુવતીની બહેન ભાવનગર રહેતી હોય તળાજા સ્થિત ઘરે આવેલઙ્ગ ત્યારે કોર્ટમાં હાજર રહીશ તો મારી નાખીશું તેવી ધમકી આપ્યાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાયેલ છે.
બે વર્ષ પહેલાં મહોરમ મહિનામાં તળાજામાં ત્રિપલ હત્યાકાંડ સર્જાયો હતો. ખોજા પરિવારના પિતા અને સગા બે દીકરા પર ફાયરીગ અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરીઙ્ગ હત્યા નિપજાવવાનો આરોપ લાગેલ હતો. આ ઘટના એ હાહાકાર મચાવી દીધેલ હતો.
જેમાં ભાવનગર રેલવે સ્ટેશનપાસે રહેતા સાબેરાબેન કોમલ અબ્બાસ વિરાણી તળાજા સ્થિત તેમના ઘરે આવેલ હોય સવારેઙ્ગ ૯.૩૦ કલાકે કોર્ટ માં હાજર રહીશ તો મારી નાખવાની ધમકી સાથે કેસ પરત ખેંચી લેવની પણ ધમકી આપ્યા ની ફરિયાદ નોંધાવેલ. આ બનાવમાં ફરિયાદી પક્ષ દ્વારા અગાઉ પણ ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી.