સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th March 2019

સુરેન્દ્રનગરના દેવીપૂજક વૃધ્ધા ધોળીબેનનું વઢવાણમાં વાહનની ઠોકરે ચડી જતાં મોત

રાજકોટ તા. ૧૬: સુરેન્દ્રનગરના આનંદનગરમાં રહેતાં દેવીપૂજક વૃધ્ધા ધોળીબેન જીવરાજભાઇ પાટડીયા (ઉ.૬૦) નામના વૃધ્ધા ગઇકાલે બપોરે વઢવાણમાં ગેબનશાપીરની દરગાહ પાસે હતાં ત્યારે કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ઇજા થતાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે વઢવાણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ધોળીબેનને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(10:23 am IST)