જામજોધપુર-ધુનડા સત્પુરણધામ આશ્રમના પૂ. જેન્તીરામબાપા કાલથી લંડનની ધાર્મિક યાત્રાએ
દોઢ મહિનાનું રોકાણ : ધર્મનો પ્રચાર-પ્રસાર
જુનાગઢ, તા. ૧૬ : જામજોધપુર તાલુકાના ધુનડા ગામે આવેલ સત્પુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તીરામ બાપા આવતીકાલે લંડનની યાત્રાએ જઇ રહ્યા છે.
પૂ. જેન્તીરામબાપા આજે સવારે ધુનડાથી રવાના થઇ અમદાવાદ સાંજે પહોચશે અને રવિવારે સવારે ૭-૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી હવાઇ માર્ગે લંડન (યુકે) જશે તેઓ સતત સાતમી વાર લંડન ખાતે પૂ. રાજરાજેશ્વર ગુરૂજીના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શકિત સેન્ટર (હેરો) ખાતે દોઢ માસ જેટલુ રોકાણ કરી ત્યાં મંદિરો ધર્માલયોમાં અને સત્સંગીઓના નિવાસ સ્થાને પધરામણી કરી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે અને સત્સંગનો લાભ આપશે. પૂ. બાપા લંડન જઇ રહ્યા છે ત્યારે તેઓને આજે સવારે ધુનડા તેમજ જામનગર રાજકોટ લીંબડી સહિતના સ્થળોએ સતપરિવારના સત્સંગી ભાઇઓએ ભાવવંદના કરી યાત્રા સુખદ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.