News of Saturday, 16th February 2019
જસદણવાસીઓએ હૃદય ભીંજવી પુલવામાંના શહિદોને યાદ કર્યા
જસદણ તા.૧૬: જમ્મુ કાશ્મીરના પુલવામાં પાકિસ્તાનનાં ત્રાસવાદીઓએ ગુરૂવારે હુમલો કરી. સીઆરપીએફના ૪૪ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા તે અંગે જસદણવાસીઓમાં પાકિસ્તાનના ત્રાસવાદીઓ સામે ભારોભાર રોષ છવાયો છે.
ગઇકાલે વહેલી સવારે શહેરની ઇકરા સ્કૂલ તથા જુદી-જુદી રાજકીય સામાજીક, સેવાકીય,શૈક્ષણિક સંસ્થાઓએ અંજલી અર્પણ કરી હતી. આ તકે સુન્નિ મુસ્લિમ સમાજના યુવા અગ્રણી રફીકભાઇ હાજી હબીબભાઇ મીઠાણીએ જણાવ્યું હતું કે દેશમાં આ ઘટના બાદ આક્રોશનો ભારે પડઘો પડયો છે ત્યારે મોદી સરકારે જબરદસ્ત એકશન લઇ ત્રાસવાદીઓની સાત પેઢી સાફ કરવી જોઇએ તેમ જણાવ્યું હતું.
(9:45 am IST)