મેટોડા જીઆઇડીસીમાં બંધ મકાનમાં તસ્કરો ખાબકયાઃ અડધા લાખની મત્તાની ચોરી
રાજકોટ તા. ૧૬ :.. લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી અડધા લાખની મતા ચોરી કરી ગયા હતાં.
મળતી વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીમાં પાઠક સ્કુલની બાજુમાં બાલાજી રેસીડેન્સી મકાન નં. ર માં રહેતા અને ટીફીનનો વ્યવસાયા કરતા અશ્વિનભાઇ બાલુભાઇ વઘાસીય (પટેલ) ના બંધ મકાનમાં તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી તિજોરીનો દરવાજો તોડી સોનાનું પેન્ડલ કિ. રપ૦૦૦, ગોલ્ડ લોનના ડોકયુમેન્ટ, માટીના ગલ્લામાં રાખેલ રોકડા રૃા. ર૦,૦૦૦ તથા સાડીનો જથ્થો મળી કુલ અડધા લાખની મતા ચોરી કરી ગયા હતાં. મકાન માલીક અશ્વિનભાઇ પરિવાર સાથે દલખાણીયા ગામ સ્થિત તેના માસીજીના ઘરે ગયા હતા ત્યારે તસ્કરો બંધ મકાનમાં ત્રાટકયા હતાં. આ અંગે અશ્વિનભાઇની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી. એસ. આઇ. એચ. એમ. ધાંધલ ચલાવી રહ્યા છે.