News of Tuesday, 16th January 2018
કચ્છના ખાવડામાં ૪.૦ની તિવ્રતાનો ભૂકંપઃ સુરેન્દ્રનગરમાં ધરા ધ્રુજી
રાજકોટ તા.૧૬: લાંબા સમય બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભય ફેલાયો છે.ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલલમા જણાવાયુ છે કે કાલે મોડી રાત્રીના ૧:૦૩ વાગ્યે કચ્છના ખાવડાથી ૨૬ કિ.મી. દુર દક્ષિણ દિશા બાજુ કેન્દ્રબિન્દુ ધરાવતા ભૂકંપનો ૪.૦ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
જયારે આજે સવારે ૯:૪૧ વાગ્યે સુરેન્દ્રનગરથી ૨૧ કિ.મી. દુર ૧.૭ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
(4:13 pm IST)