News of Saturday, 15th December 2018
સુરેન્દ્રનગર : જમીન બાબતે મારકુટના કેસમાં ત્રણ શખ્સોને પાંચ વર્ષની સજા
સુરેન્દ્રનગર તા ૧૫ : સાયલાના મોટાકેરાળાગામે રહેતા વિનુભાઇ કોળીને તા. ૧૯-૯-૨૦૦૬ અ ેખેત જમીનના ભાગ બાબતે રમેશભાઇ ગોરધનભાઇ, વશરામભાઇ નાગજીભાઇ, રણજીતભાઇ ગોરધનભાઇ સાથે મનદુઃખ થયું હતું જેમાં ત્રણેય શખ્સોએ એક સંપ કરીને વિનુભાઇને સોરીયુ, લાકડીથી માર મારતા શરીરના ભાગે ઇજા થઇ હતી. આ અંગેનો કેસ ચાલી જતાં જયુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટના જજ ડો. કુ. એમ.એચ. પંચાલે ત્રણેય આરોપીઓ રમેશભાઇ, વશરામભાઇ અને રણજીતભાઇને પાંચ વર્ષની સાદી કેેદ અને ૭ હજારનો દંડ ફટકાર્યો છે. (૩.૪)
(12:32 pm IST)