સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th November 2021

ભાજપ પક્ષના આગેવાનો-કાર્યકરોને સંગઠિત થઇને કામ કરવા ભૂપેન્દ્રભાઇનો અનુરોધ

ઉનામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપનું સ્નેહમિલન યોજાયું: ભૂપેન્દ્રભાઇનું અભિવાદન : જિલ્લાની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

ઉનામાં જિલ્લા ભાજપના સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું તે તસ્વીર.

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧પ :  ગીર સોમનાથ જિલ્લા ભાજપનું નવા વર્ષ ઉનામાં યોજાયેલ સ્નેહમીલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહીને ભાજપ પક્ષના આગેવાનો-કાર્યકરોને સંગઠિત થઇને કામ કરવા અનુરોધ કર્યો હતો.

ઉનામાં જિલ્લા ભાજપના નવા વર્ષના સ્નેહમિલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાજપના આગેવાનો કાર્યકરો તથા જિલ્લાની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સ્નેહમિલનમાં સોમનાથ જિલ્લા ભાજપના પ્રભારી અરવિન્દભાઇ રૈયાણી, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

(3:05 pm IST)