જીલ્લા ભાજપનું ગોંડલમાં સ્નેેહમિલનઃ વાઘાણીની ઉપસ્થિતી
ગોંડલ, તા.૧૫: રાજકોટ જીલ્લામાં રાજકીય એપી સેન્ટર ગણાતા ગોંડલમાં નવા માર્કેટયાર્ડના કિશાન ભવન હોલમાં જીલ્લા ભાજપનું સ્નેહમિલન યોજાયુ છે. ગોંડલ ભાજપનો ગઢ ગણાતું હોય જીલ્લા કક્ષાના સ્નેહમિલન માટે ગોંડલની પસંદગી કરાઇ છે.
સ્નેહમિલનમાં કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, જીલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિહ સરવૈયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, સાંસદ રમેશભાઈ ધડુક, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહેનાર છે.
જીલ્લા ભાજપ કક્ષાનું સ્નેહમિલન ગોંડલ યોજાયુ હોય કાર્યકર્તાઓ, પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાતની યાદીમાં જણાવાયું છે.