સંગઠન સરચના સાથે ગોંડલ ભારતીય જનતા પાર્ટીનું સ્નેહ મિલનઃ ચંદુભાઇ દુધાત્રા શહેર ભાજપ પ્રમુખઃતાલુકામાં ભગવાનજી રામાણી
ગોંડલ, તા.૧પઃ ભારતિય જનતા પાર્ટી નાં શહેર તાલુકા એકમ નું નવાં માર્કેટ યાડઁ ખાતે યોજાયેલ સ્નેહ મિલન માં નવાં હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરાઇ હતી.આગામી સમયમાં ભાજપ નો ગઢ ગણાતાં ગોંડલ પંથક માં ભાજપ ને અભેદ્યગઢ બનાવી પાર્ટી ની વિચારધારા ને છેવાડાં નાં માનવી સુધી પંહોચતી કરવાં સંકલ્પ લેવાયો હતો.
નવાં યાડઁ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા,માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા,અગ્રણી જયંતિભાઇ ઢોલ,ઉપલેટા નાં માજી ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા ની ઉપસ્થિત માં કાયઁકર્તા સ્નેહ મિલન નું આયોજન કરાયું હતું.સાથે સંગઠન સરચના હાથ ધરાતાં શહેર ભાજપ પ્રમુખ તરીકે સંનિષ્ઠ અગ્રણી ચંદુભાઇ દુધાત્રા,મહામંત્રી તરીકે પાયાંનાં પત્થર સમાં ઉપેન્દ્રસિહ (પિન્ટુભાઇ) ચુડાસમા,અશોકભાઈ પરવડીયા જયાંરે તાલુકા પ્રમુખ તરીકે ભગવાનજી ભાઇ રામાણી મહામંત્રી તરીકે જીતુભાઈ જીવાણી તથાં બકુલભાઇ જયસ્વાલ ની નિમણુંક થવાં પામી છે.
શહેર પ્રમુખ વરાયેલાં ચંદુભાઇ દુધાત્રાની ખાસ કરીને ચુંટણી વેળા કાર્યાલય ની સંભાળ સરાહનીય બની રહી હોય ઉપરાંત સંગઠનની આગવી સુઝ ધરાવતાં હોય તેમની વરણીને કાર્યકર્તાઓ એ હર્ષભેર વધાવી હતી.
કાર્યક્રમ માં યાર્ડ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા,કનકસિંહ જાડેજા,પ્રફુલભાઈ ટોળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા,પાલીકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા,પૃથ્વીસિંહ જાડેજા,રાજેન્દ્રસિંહ જાડેજા,યુવા ભાજપ પ્રમુખ જયદિપસિહ જાડેજા,સમીર કોટડીયા સહીત બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા.(૨૩.૧૫)