કોંગ્રેસ દ્વારા ભાવનગરના ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર ખાતે ધરણા : કલેક્ટરને આવેદન આપ્યું
અર્થતંત્ર,બેરોજગારી,ખેડૂતોની હાલાકી અને બેન્કિંગ વ્યવસ્થા નષ્ટ થવી સહિતના મુદ્દે ધરણા
ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર ખાતે દેશની વર્તમાન ભાજપ સરકારનાં પરિણામે ઉભી થયેલ સમસ્યાઓ તથા મંદી , બેરોજગારી , બેન્કિંગ વ્યવસ્થા નષ્ટ થવી , ખેડૂતોની હાલાકી રોજગારી નાં ઘટાડા અંગે ધરણાં અને ત્યારબાદ કલેકટર ગૌરાંગભાઈ મકવાણા ને આવેદનપત્ર આવ્યું હતું.
ભાજપ ની અસંવેદનશીલ સરકાર અને આ ભયંકર હાડમારીઓ માંથી પ્રજા મુક્ત થાય તે માટે વિરોધ પક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર નાં પ્રભારી બધેલ ઉપરાંત કોંગ્રેસ નાં તમામ આગેવાન કાર્યકરો , ચુંટાયેલા સભ્યો , ફ્રન્ટલ અને સેલ નાં આગેવાનો અને કાર્યકરોને ઉપસ્થિત રેહવા ગ્રામ્ય જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ , જિલ્લા પંચાયત નાં વિરોધપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ , શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી , વિરોધ પક્ષ નાં નેતા જયદીપસિંહ ગોહિલ અને પ્રવક્તા રામદેવ સિંહ ઝાલા, કોંગ્રેસના ના કાયર્કરો ઉપસ્થિત રહ્યા હતા