ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા દ્વારા અખંડ નવ દિવસ રામાયણના પાઠ સાથે નવચંડી મહાયજ્ઞ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ
સૌરાષ્ટ્રમાં સર્વ પ્રથમ વખત ધોરાજીને આંગણે છેલ્લા 37 વર્ષથી અખંડ રામાયણ પાઠ સાથે નવચંડી મહાયજ્ઞ : શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ના સાનિધ્યમાં ઉગ્ર તપસ્યા : ચિત્રકૂટના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક રામાયણના પાઠ : નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા આયોજન કરાયું કોઇપણ જાતનો લોકોને જાહેર આમંત્રણ પાઠવવામાં નથી આવ્યું: ભારત અને વિશ્વમાં કોરોના ની મુક્તિ થાય તેવી માતાજી પાસે પ્રાર્થના કરાઈ
(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના પ્રાચીન શ્રી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે છેલ્લા 37 વર્ષથી નવરાત્રી મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ દ્વારા યોજાઇ રહ્યો છે જેમાં ચિત્રકૂટ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞ નો ભવ્ય આયોજન છેલ્લા 37 વર્ષથી થઈ રહ્યું છે
આશ્રમના મહંત શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ ના સાનિધ્યમાં આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાન નો આયોજન કરવામાં આવ્યું છે આ સમયે પૂજ્ય શ્રી મહંત શ્રી દિગંબર લાલુ ગીરીજી મહારાજ એ જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ના સમયમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે નવરાત્રી અનુષ્ઠાન નું આયોજન કરવામાં આવ્યું હતું
નવરાત્રિના પ્રથમ દિવસે ચિત્રકૂટ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ 24 કલાક નવ દિવસ સુધી રામાયણના પાઠ પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ મંડલીકપુર ના આચાર્ય શાસ્ત્રી મુકેશઅદા વ્યાસ ના અધ્યક્ષ સ્થાને ઉપાચાર્ય જીગ્નેશભાઈ વ્યાસ અલ્પેશભાઈ પંડ્યા અભિષેક ભાઈ ત્રિવેદી નયનભાઈ ત્રિવેદી વિગેરે પંડિતો દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવદુર્ગાનું પૂજન સ્થાપના કળશ સ્થાપના તેમજ વૈદિક પરંપરા મુજબ નવરાત્રી અનુષ્ઠાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
આજે વિજયાદશમી ના દિવસે સંતો મહંતોની હાજરીમાં નવરાત્રી પુર્ણાહુતી વિજયાદશમી ના પાવન પ્રસંગે માતાજીનું સ્થાન વૈદિક પરંપરા મુજબ અખંડ ૨૪ કલાકના રામાયણ ના પાઠ તેમજ નવચંડી મહાયજ્ઞનું વિજયાદશમી ના રોજ અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞ પુર્ણાહુતી થઈ હતી
આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ એ જણાવેલ કે પવિત્ર નવરાત્રી વિજયાદશમી નિમિત્તે શુભ સમયે આશીર્વાદ પાઠવતા જણાવેલ કે હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વ એટલે માતાજીની આરાધનાનો દિવસ ગણાય છે.આ સમયે ડિસ્કો ડાંડીયા ના શોખને બદલે માત્ર ને માત્ર માતાજીની આરાધના સાથે સાથે દિવ્ય ભક્તિ નો સમય છે ત્યારે અમારા આશ્રમ દ્વારા છેલ્લા 37 વર્ષથી માત્ર ને માત્ર માતાજીના સાનિધ્યમાં અખંડ ૨૪ કલાકના રામાયણના પાઠ જેમાં નવ વખત સંપૂર્ણ આખી રામાયણ વાંચવામાં આવે છે તેમજ નવચંડી મહાયજ્ઞ અને દરરોજ અગિયાર બાળાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે આશ્રમમાં માત્ર ને માત્ર માતાજીની આરાધના સિવાય કશું જ નહીં
આ સમયે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ નવરાત્રિના નવ દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યા ની સાથે સાથે માં નવદુર્ગાની આરાધનાના માં હોય છે તેમજ ચિત્રકૂટ ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ ૨૪ કલાક 9 દિવસ રામાયણના પાઠ અને નવચંડી મહાયજ્ઞ દરરોજ નવ દિવસ સુધી રામાયણ ના પાઠનું અનુષ્ઠાન કરવામાં આવેલ છે આજે વિજયાદશમીના દિવસે અખંડ 24 કલાક નવ દિવસ સુધી નવ વખત રામાયણ સંપૂર્ણ પાઠ કરવામાં આવ્યા હતા જેની આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ થઇ હતી તેમજ ગિરનાર મંડળના સાધુ સંતોની હાજરીમાં પૂર્ણાહુતિ થઈ હતી