સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

કુતિયાણામાં ખેડૂતના આપઘાત બાદ જન અધિકાર મંચના પ્રવીણ રામેં લીધી ખેડૂત પરિવારની મુલાકાત

કુતિયાણામાં ખેડૂતના આપઘાત મામલે જન અધિકાર મંચના પ્રવિણ રામે પીડિત પરિવારની મુલાકત લીધી હતી. અને આટલી ગંભીર ઘટના બાદ હજુ સુધી સરકાર તરફથી કોઇએ મુલાકાત ન લીધી હોવાનું દુખ વ્યકત કર્યુ હતું.

  પ્રવીણ રામે ખેડૂતોના પરિવારની સાથે મુલાકાત કરીને કહ્યુ હતું કે આ દુઃખદ ઘટના બાદ ખરેખર સરકારને આશ્વાસનરૂપે પોતાની ટીમ મોકલવી જોઇએ. હજુ પણ પરિવારે સરકાર પાસે કોઈ સહાય માંગી નથી. પરંતુ સરકાર સહાય ના કરી શકે તો કંઇ નહીં પરંતુ સરકારના અધિકારીઓ પદાધિકારીઓ કે સરકાર તરફથી સાંત્વના પાઠવવા પણ કોઈ આવ્યું નથી

(8:29 pm IST)