સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 15th October 2018

ધ્રાંગધ્રામાં વિજશોકથી ૨ મજુરના મોત

જીઆઇડીસીમાં ટુટીફુટી બનાવવાના કારખાનામાં વેલ્ડીંગ વખતે દુર્ઘટના

વઢવાણ તા. ૧૫ : ધ્રાંગધ્રા જીઆઈડીસીમાં આવેલ ટુટીફુટી બનાવવાના કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા બે મજુરોને વીજશોક લાગતા બન્નેને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા. જયાં ફરજ પરના ડોકટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા શોકનો માહોલ છવાઇ ગયો છે. હોસ્પિટલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

ધ્રાંગધ્રા - સુરેન્દ્રનગર રોડ પર આવેલ જીઆઈડીસીમાં ટુટીફુટી બનાવવાનું કારખાનું આવેલુ છે. ત્યાં વેલ્ડીંગનુ કામ કરવા માટેધ્રાંગધ્રાના ચતુરભાઈ જયંતીભાઈ ચૌહાણ અને એમ.પી.ના કેવલસીંગ ગયા હતા. ત્યારે વેલ્ડીંગ કામ કરતા સમયે અકસ્માતે છૂટો પડેલા વાયરને અડી જતા બન્નેને શોક લાગ્યો હતો. આથી કારખાનામાં કામ કરતા અન્યલોકો તાત્કાલીક બન્નેને ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા. જયાં ડોકટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા.  આ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસનેજાણ થતા પોલીસે દોડી જઇ અકસ્માતથી મોત અંગેનો ગુનો નોંધી લાશનેપોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. બે મજૂરોના વીજ શોકથી મોતથતા સરકારી દવાખાનામાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડયા હતા અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.(૨૧.૧૩)

(12:16 pm IST)